- Get link
- X
- Other Apps
Visit us more sites
નર્મદા જિલ્લામાં ચણાના પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે લેવાના પગલાં અંગે ચણા પાકનું વાવેતર કરતા ખેડુતો જોગ સંદેશો
- Get link
- X
- Other Apps
નર્મદા જિલ્લામાં ચણાના પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે લેવાના પગલાં અંગે ચણા પાકનું વાવેતર કરતા ખેડુતો જોગ સંદેશો
--------
રાજપીપલા, મંગળવાર :- નર્મદા જિલ્લાના ખેડુતોને ચણાના પાકમા સંકલિત રોગ વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાના પગલાં અંગેની માર્ગદર્શિકા જૂનાગઢ તેમજ આણંદ કૃષિ યુનિવર્સીટીના નિષ્ણાંતો દ્વારા અપાયેલા સુચનોને આધારે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર પાક ફેરબદલી કરવી. સારા કોહવાયેલા છાણિયા ખાતરનો ઉપયોગ કરવો. ઠંડીની શરૂઆત થાય પછી જ વાવેતર કરવું. ચણાની સુધારેલી જાતો જેવી ગુજરાત ચણા-૫ પિયત વિસ્તારમાં અને બિનપિયત માટે ગુજરાત ચણા-૬ તથા ગુજરાત ચણા-૩ નું વાવેતર કરવું. મૂળનો કોહવારો રોગના નિયંત્રણ માટે પાક વાવતા પહેલાં દિવેલીનો ખોળ હેકટરે ૧૦૦૦ કિલો પ્રમાણે જમીનમાં આપવો. સુકારા રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૨.૫ કિ.ગ્રા. ને ૨૫૦ કિ.ગ્રા. એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું.
ચણાના પાકમાં સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ (૨×૧૦૮ સીએફયુ/ગ્રામ) સંવર્ધિત છાણિયા ખાતરને (૧૦ કિલો જૈવિક નિયંત્રક પ્રતિ ૧ ટન છાણિયા ખાતર) મુજબ ૧ ટન/ હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવું. સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી. નું અંતર રાખવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
ચણામાં રોગ નિયંત્રણ માટે બીજને થાયરમ ૨ ગ્રામ + કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ/કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી અથવા જૈવિક નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૪ ગ્રામ અને કાર્બોક્ષીન ૧ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી. અથવા ટાલ્ક આધારિત ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ – ૧% વે.પા.ની ૫૦ ગ્રામ બનાવટને ૨૫૦ મિ.લિ. પાણીમાં પ્રતિ કિલો બીજ પ્રમાણે ભેળવી ૧૦ કલાક બોળી છાંયડામાં સૂકવી વાવણી માટે ઉપયોગમાં લેવા.
ચણાના પાકમાં લીલી ઇયળના નિયંત્રણ માટે ધાણા, રાઈ જેવા પાકોનું આંતર પાક તરીકે વાવેતર કરવું. ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવું. ખેતરના શેઢા-પાળાના નિંદણનો નાશ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને તેને અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી પોતાના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, નર્મદા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
000000
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment